અરીસો જાતને ધિક્કારવામાં કામ આવે છે
મરણ લગ બાપ ઘર માટે ઘસાવાનું નહીં છોડે
તૂટે પ્હેરણ તો પોતું મારવામાં કામ આવે છે.
રડું છું તો કરે છે આંસુ કેરોસિન જેવું કામ,
હવે કંઈ ક્યાં હૃદયને ઠારવામાં કામ આવે છે
ખુશી છે કે પડ્યાં છે જિંદગીમાં ગાબડાંઓ બહુ
ઘણા ખાડા ઘણું ભંડારવામાં કામ આવે છે
ગયું દરરોજ બાળક મંદિરે ને એટલું શીખ્યું,
કે ઈશ્વર આરતી ઉતારવામાં કામ આવે છે.
નથી કંઈ મૂર્તિ એ ઈશ્વર, એ તો છે ધાતુ કે પથ્થર,
જો કે એ ધાતુ ઈશ્વર ધારવામાં કામ આવે છે.
- અનિલ ચાવડા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો