ન એમનાં સગડ કશાં ન એમનાં ખબર-બબર.
હૃદય-બદય, ચરણ-બરણ, નયન-બયન, નજર-ફજર,
બધું જ અસ્તવ્યસ્ત છે, બધું જ છે લઘર-વઘર.
ન પુષ્પ કે સુગધંની ન ડાળ કે વસંતની,
હવે તો કોઈની થતી ન સ્હેજ પણ અસર-બસર.
ગલી-ગલીમાં મૌન છે ને ઘર બધાં ય સ્તબ્ધ છે,
ફરે છે કોણ શી ખબર સ્મરણના આ નગર-નગર?
ન સાન-ભાન છે કશી ન જોમ-બોમ કંઈ રહ્યું,
આ લક્ષ્ય શું છે, માર્ગ શું છે, શું છે આ સફર-બફર?
- અનિલ ચાવડા
આ ગઝલનું પઠન પણ સાંભળોઃ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો