લાખ પ્રશ્ન ઝળઝળિયામાં છે

લાખ પ્રશ્ન ઝળઝળિયામાં છે;
‘લખાણ શું કાગળિયામાં છે?’

સુક્કી તુલસી લીલી થઈ ગઈ,
કોણ આ આવ્યું ફળિયામાં છે?

વરસાદ વિના પણ ટપકે નેવાં,
શાની ભીનપ નળિયામાં છે?

કેદ થઈ જો જરા સ્મરણમાં,
ઘણી સુંવાળપ સળિયામાં છે.

મારામાં ડૂબો તો જાણો,
ઉપર છે એ તળિયામાં છે.

- અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળોઃ



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો