‘લખાણ શું કાગળિયામાં છે?’
સુક્કી તુલસી લીલી થઈ ગઈ,
કોણ આ આવ્યું ફળિયામાં છે?
વરસાદ વિના પણ ટપકે નેવાં,
શાની ભીનપ નળિયામાં છે?
કેદ થઈ જો જરા સ્મરણમાં,
ઘણી સુંવાળપ સળિયામાં છે.
મારામાં ડૂબો તો જાણો,
ઉપર છે એ તળિયામાં છે.
- અનિલ ચાવડા
આ ગઝલનું પઠન પણ સાંભળોઃ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો