મૃત્યુગઝલ-2

વગર પૂછ્યે જ સરનામું કદી પૂછી જશે;
ટપાલી મૃત્યુનો કાગળ પછી મૂકી જશે.

બધા ચાલો જીવનનું નામ બરણી પાડી દો,
જે દી’ એ હાથમાંથી છૂટશે, ફૂટી જશે.

બધા સંતાય છોને ફાનસોના કાચમાં,
પવન પણ આવશે નહિ ને દીવો બૂઝી જશે.

જગતના બોર્ડ પર સઘળા લખાયા છે અહીં,
અચાનક એક ડસ્ટર આવશે, ભૂંસી જશે.

અચાનક ફરતું-ફરતું વૃક્ષ માટી થઈ જશે,
નહીં દેખાતું પંખી વૃક્ષથી ઊડી જશે.

- અનિલ ચાવડા

આ ગઝલનું પઠન પણ સાંભળોઃ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો