દેહમાંથી જઈ રહેલો પ્રાણ છે એ હું જ છું.
જ્યાં સુધી પ્હોંચે નજર પાણી જ પાણી છે બધે,
મધ્યમાં ડૂબી રહેલું વ્હાણ છે એ હું જ છું.
હું જ પંખીની તકાયેલી નજીવી આંખ છું,
ને ધનુષ ઉપર ચઢેલું બાણ છે એ હું જ છું.
દૂર તારાથી જવા મથતો રહું છું એ ય હું,
તારું જેને કાયમી ખેંચાણ છે એ હું જ છું.
શાંત થઈને બેઠું છે જે તારામાં એ હું જ છું,
હરપળે તારામાં જે રમખાણ છે એ હું જ છું.
~ અનિલ ચાવડા
આ ગઝલનું પઠન પણ સાંભળોઃ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો